માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું.

 Dahod: દાહોદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ લોકાર્પણ કર્યું.


દાહોદ:- રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાને ફાળવવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા સેવા સદન  ખાતેથી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાને ફાળવેલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ દાહોદ જિલ્લા માટે ફાળવવામાં આવી છે. જેથી કરીને દર્દીઓની સવલતમાં વધારો થશે. દર્દીઓની સારવાર તેમજ આરોગ્ય લક્ષી સેવા પુરી પાડવા માટેના ઉદ્દાત ભાવથી ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે એક આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિમીટર, ઓક્સીજન ફ્લોમીટર, તમામ વાઈટલ કિટ અને મેડિસિન, એર-વે મેનેજમેન્ટ, સેન્સર કેમેરા, ચાર પ્રકારના સ્ટ્રેચર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આઇ.સી.યુ. વ્હિલ્સ અને એવી જ અદ્યતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી હતી. 


કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત સહિત અન્ય ડો. શ્રીઓ, ૧૦૮ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું