માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો

  દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશિપ ભરતી મેળો અને અનુંબધમ નામ નોંધણી કેમ્પ અને સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર અને અનૂબંધમ-એન.સી.એસ. નામ નોંધણી કેમ્પ યોજાયો


દાહોદ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજ, દાહોદ, ઝ।લોદ રોડ ખાતેરોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો, સ્વ રોજગાર શીબીર તેમજ અનુંબધમ - એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું.


આ કેમ્પ દરમ્યાન દાહોદ,ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ખાનગી ક્ષેત્રના ૯   નોકરીદાતાઓ દ્વારા હાજર રહીને આઈ.ટી.આઈ. (ઓલ ટ્રેડ ) અને ધોરણ -૧૦ /૧૨ પાસ /  ડિપ્લો, GNM/ B.sc નર્સિંગ, BA , B.com, B.sc ,B.R.S/M.R.S જેવી ૩૯૫ જેટલી ટેકનીકલ – નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા.

જેમાં ૨૮૭ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ૭૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી  કરવામા આવી હતી. ભરતી મેળામાં રોજગાર કચેરીના અધિકારી - કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરી રોજગારલક્ષી યોજનાઓ, સ્વરોજગાર, નિવાસી તાલીમ તેમજ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.

૦૦૦






Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું