માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

 


સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

૦૦૦

*પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૧૦ મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

૦૦૦

*આજનો અવસર એળે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસયાત્રા જરુરીયાતમંદ લોકો માટે ચાલતી રહેશે-મંત્રીશ્રી બચુભાઇ ખાબડ*

૦૦૦

દાહોદ : રાજ્યભરમાં ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે મહત્વના અભિયાનો સેવા સેતુ કાર્યક્રમની સાથે સ્વચ્છતા હી સેવાનો આજથી શુભારંભ થઇ રહ્યો છે, જે ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કર્યો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો ૧૦ મો તબક્કો પ્રારંભ કરવામા આવ્યો છે. સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનને પણ એ સાથે વેગ આપવામા આવી રહ્યો છે. 


દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પુર્ણ કરવા તેમજ લોકહિતને ધ્યાને રાખી પારદર્શી પ્રશાસન માટે ૧૦ મા તબક્કાનો  સેવા સેતુ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 


આજનો અવસર એળે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસયાત્રા જરુરીયાતમંદ લોકો માટે ચાલતી રહેશે એમ કહેતા મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ ઉમેર્યુ હતુ કે, લોકોના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવે તે હેતુથી સરકારે ઘર આંગણે લાભ મળી રહે એ માટેની વ્યવસ્થા કરી આપી છે. લાભાર્થીઓ પુરતી વિગતો ને પુરાવા લઇને આવે અને આ સેવાનો પુરો લાભ લે જેથી કરીને કોઇપણ વ્યક્તિ સરકારની કોઇ યોજના મેળવવામા રહી ન જાય. 


આ કાર્યક્રમ નિમિતે દેવગઢ બારીયા તાલુકાના ૪૩ જેટલા ગામોમાથી આવેલ તમામ લાભાર્થીઓને સરકારના ૧૩ વિભાગોમાથી સરકાર દ્વારા નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ આપવામા આવશે. 


આ કાર્યક્રમ નિમિતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અરવિંદાબેન,પ્રાંત અધિકારીસુશ્રી જ્યોતિબા ગોહિલ,  તાલુકા પંચાયત પ્રમુખ, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી, મામલતદારશ્રી સમીર પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, આંગણવાડી બહેનો તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નશામુક્તિ માટેની પ્રતિજ્ઞા લઇને મંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોએ ત્યા ઉભા કરવામા આવેલ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇને લાભાર્થીઓને લાભ આપવાની શરુઆત કરવામા આવી હતી.

૦૦૦








Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ