માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

લીમખેડા તાલુકામાં "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " અંતર્ગત " સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા " ઉદ્દેશ હેઠળ ફળો - શાકભાજી વાળાઓને સ્વચ્છતા સંદેશ અપાયો

 લીમખેડા તાલુકામાં "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " અંતર્ગત " સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા " ઉદ્દેશ હેઠળ ફળો - શાકભાજી વાળાઓને સ્વચ્છતા સંદેશ અપાયો

દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છતા મંત્રને સાકાર કરવા હેતુ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા સૂત્ર ચરિતાર્થ થાય તે હેતુથી લીમખેડા તાલુકામાં આવેલ શાક માર્કેટ, ખાણી-પીણી બજારો, લારી-ગલ્લા પર લોકોને સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ કરવા પર થતું નુકસાન તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગેના ઉપરાંત પોતાના આર્થિક ઉપાર્જન એવા લારી ગલ્લા ની આસપાસના સ્થળની સાફ સફાઈ રોજિંદી કરવા માટે સમજાવવામાં આવ્યું હતું. એ સાથે IEC પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.



Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું