દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો

 હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો 


દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ માં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો

દાહોદ:-રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ દાહોદમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર,જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલા,નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓએ દાહોદ તાલુકામાં વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.

દેશના સ્વાભિમાન કહી શકાય તેવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આ અભિયાન અન્વયે પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે દરેક નાગરીકોને પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ અવશ્ય ફરકાવવો જોઈએ.

હર ઘર તિરંગા અભિયાન* ૦૦૦૦૦ દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ...

Posted by Info Dahod GoG on Friday, August 9, 2024

Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...