માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો

 હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લો 


દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ માં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો

દાહોદ:-રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ દાહોદમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર,જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલા,નગર પાલિકા પ્રમુખ શ્રી નિરજ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓએ દાહોદ તાલુકામાં વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.

દેશના સ્વાભિમાન કહી શકાય તેવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આ અભિયાન અન્વયે પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે દરેક નાગરીકોને પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ અવશ્ય ફરકાવવો જોઈએ.

હર ઘર તિરંગા અભિયાન* ૦૦૦૦૦ દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓએ...

Posted by Info Dahod GoG on Friday, August 9, 2024

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું