માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod: ફતેપુરા કોલેજ અને આઈ.ટી.આઈ. ખાતે ઓવર્સીસ અને કરીઅર ગાઈડન્સ સેમીનાર યોજાયો.

 Dahod: ફતેપુરા કોલેજ અને આઈ.ટી.આઈ. ખાતે ઓવર્સીસ અને કરીઅર ગાઈડન્સ સેમીનાર યોજાયો.

દાહોદ : મદદનીશ નિયામકશ્રી રોજગાર વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આર્ટ્સ કૉલેજ તથા સરકારી આઇ. ટી. આઈ. ખાતે ઓવર્સિસ તથા કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા કારકિર્દી અંગે દિશા સૂચન અને ખાનગી/સરકારી નોકરી માટે રહેલી તકો અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કરીઅર કાઉન્સેલર હીરલ સેલોત દ્વારા  રોજગાર લક્ષી ઓનલાઈન અનુબંધમ એન.સી.એસ. પોર્ટલ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, રોજગાર ભરતી મેળા, સ્વરોજગાર શિબિર વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 



ઉપરાંત વડોદરાના ઓવરસિસ કાઉન્સિલર નિશાંત આર. જોષી દ્વારા વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. જેમા પાસપોર્ટ એપ્લીકેશન, વિઝા પ્રોસેસ, વિદેશ અભ્યાસ માટે લોન, વર્ક પરમિટ, અંગ્રેજી વિષયની વિવિધ પરીક્ષા, તથા સેફ એન્ડ લીગલ માઇગ્રેશન વિશે સમજ આપવામા આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમમા આર્ટ્સ કોલેજના લગભગ ૩૮૫ તેમજ સરકારી આઇ.ટી.આઇ. ફતેપુરાના ૬૫ થી વધુ ઉમેદવારો એ ભાગ લઇ કાર્યક્રમનો લાભ લીધો હતો.

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ