માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod : કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો

Dahod : કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો

વિકાસ સપ્તાહ – દાહોદ

*પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના પ્રતિભાવ રજૂ કર્યા*

૦૦ 

*સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક અને સાધન સહાય મળી રહી છે, પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઇ શકે છે. - કલેકટર શ્રી યોગેશ નિરગુડે*

૦૦ 

દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી "નાગરીક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુક્ત અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


આ કાર્યક્રમ દરમ્યાન આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ વિજ્ઞાન કેંદ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેતીવાડી વિભાગ હેઠળની યોજનાઓ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે તેમજ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત વિસ્તાર પૂર્વક સમજાવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) દ્વારા પ્રાકૃતિક ખેતીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સાથે પ્રાકૃતિક ખેતી વિશે સમગ્ર દાહોદ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના થયેલા વિકાસ માટેની જાણકારી આપી હતી. 

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આજે ખેડૂતોને આર્થિક સહાય અને સાધન સહાય મળી રહી છે. જેના થકી કોઈપણ ખેડૂત ખેતીમાં પણ પોતાની પ્રગતિ કરી શકે છે અને પ્રાકૃતિક ખેતી અપનાવીને પાકનું સારુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે સદ્ધર પણ થઇ શકે છે.


કલેકટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, પહેલાંના વર્ષોમાં ફક્ત અનાજ પૂરતો જ પાક કરવામાં આવતો હતો જયારે હવે ફળાઉ પાક પણ કરતા થયા છે. આજે ખેડૂતોમાં એટલી પ્રગતિ આવી છે કે, ફક્ત ખેતી થકી જ ઉત્પાદન સારુ મળતાં તેમજ પાકની ગુણવતા વધતા અઢળક આવક મેળવતા થયા છે. જેમાં કિસાન સન્માન નિધિ યોજના જેવી વિવિધ આર્થિક તેમજ સાધનિક સહાય થકી સરકાર તમામ ખેડૂતોને મદદ કરી રહી છે. 

પ્રાકૃતિક ખેતી દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો અપનાવે અને સંપૂર્ણ દાહોદ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો અનુરોધ કરતા તેમણે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં પણ સુધારો આવે છે, અને ગાય આધારિત ખેતી હોવાથી કોઈપણ ખેડૂત આ ખેતી કરી શકે છે, ઓછો ખર્ચ માંગતી આ ખેતી ખેડૂતોની આર્થિક આવક વધારે છે. પ્રાકૃતિક ખેતીની આ ઝુંબેશને જેમ બને એમ સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતો આવકારીને પ્રાકૃતિક ખેતી અપનાવશે તો ચોક્કસ પણે તમામ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની શકશે. 


કાર્યક્રમ દરમ્યાન કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સાથે સીધો વાર્તાલાપ કરી અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ કાર્યક્રમ દરમ્યાન પોતાના પ્રાકૃતિક ખેતી પ્રત્યેના અનુભવો રજૂ કરી સરકાર દ્વારા અપાતી વિવિધ પ્રકારની સાધનિક તેમજ આર્થિક સહાય અંગેની વાતો મૂકી હતી.

આ કાર્યક્રમ નિમિતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા તેમજ અન્ય વૈજ્ઞાનિકશ્રીઓ, આત્મા યોજના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ તમામ તાલુકામાંથી ખેડુત ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

#VikasSaptah

#23YearsOfGoodGovernance

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ