માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod: જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

 Dahod: જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

વિકાસ સપ્તાહ – દાહોદ

*જિલ્લા કલેક્ટરશ્રીએ લાભાર્થીઓના યોજના સહાય મળ્યા પહેલાની સ્થિતિ અને પછીની પરિસ્થિતિ અંગેના ભાવ-પ્રતિભાવ જાણ્યા*

૦૦૦

*“ અમને ગેસ મળતા પહેલા જેવી ધુમાડા અને લાકડા વીણવા જેવી અનેક  તકલીફમાથી છુટકારો મળ્યો છે. “ – લાભાર્થી ભુરિયા વર્ષાબેન* 

૦૦૦

દાહોદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતનુ પ્રતિનિધિત્વ સમ્ભાળ્યુ હતુ. તેમની અત્યાર સુધીની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જન-જન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી  તા.૧૫ સુધી સમગ્ર રાજ્યમાં ' વિકાસ સપ્તાહ 'ની ઉજવણી કરવામાં આવી રહી છે.


આ અભિયાનના ભાગરુપે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ લારી -  રીક્ષા ચલાવીને પોતાનુ અને પરિવારનુ ગુજરાન ચલાવનાર દિવ્યાંગ લાભાર્થીઓ સહિત અન્ય લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સરકારશ્રી દ્વારા મળેલ યોજના સહાયા થકી તેઓના જીવનમા કેવો બદલાવ આવ્યો એ વિશેના પ્રતિભાવો જાણ્યા હતા. 

કોરોનાકાળ દરમ્યાન લોકોને જે પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આવા ગમ્ભીર અને કપરા સમયમા પણ સરકારશ્રી દ્વારા લોકો સુધી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી જે રીતે અનાજ પહોંચાડવામા આવ્યુ હતુ, તે અંગેના પ્રતિભાવ પણ લાભાર્થીઓએ રજુ કર્યા હતા. 

ગંગા સ્વરૂપા યોજના, સંત સુરદાસ યોજના, ઉજ્જ્વલા યોજના, એસ.ટી. બસ પાસ યોજના, રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર એવી વિવિધ સહાય યોજનાઓ તેમજ કોરોના કાળ દરમ્યાન લોકોને મળેલી અન્ન સહાય યોજના થકી એમના વ્યક્તિગત અનુભવો જાણીને એ અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. લાભાર્થી ગીતાબેન નિનામાએ પોતાના અનુભવો જણાવતા કહ્યુ હતુ કે, મારા પતિનુ મૃત્યુ થતા ગંગા સ્વરૂપા યોજના હેઠળ મને દર મહિને ૧૨૦૦ રૂપિયા સરકાર તરફથી આપવામા આવે છે. એ સાથે રેશન કાર્ડ થકી અમને તેલ, ચણા, ચોખા અને ઘઉ જેવુ અનાજ પણ મફતમા મળે છે. 

તો ઉજ્જ્વલા યોજનાના લાભાર્થી ભુરિયા વર્ષાબેનએ પોતાની પહેલાની અને પછીની પરિસ્થિતિ વર્ણવતા કહ્યુ હતુ કે, પહેલા અમે ચુલા પર જમવાનુ બનાવવુ પડતુ હતુ, ઘરના બધા સભ્યોનુ જમવાનુ બનાવતા અમને ખુબ જ મુશ્કેલી થતી હતી, રોજેરોજ બહારથી છાણા - લાકડા બહારથી વીણી લાવવા પડતા હતા, અને ઉપરથી ધુમાડો, ફુંક મારીને ચુલો સળગાવવો પડતો હતો. ચોમાસા સમયે સુકા લાકડા મળવા ઘણા મુશ્કેલ હતા પરંતુ અમને જ્યારે સરકારે આપેલ ઉજ્જવલા યોજના હેઠળ ગેસના લાભના કારણે પહેલા જેવી ધુમાડા અને લાકડાની તકલીફમાથી છુટકારો મળ્યો છે. ઉપરથી જમવાનુ પણ ગમે એટલાનુ બનાવવાનુ હોય તો એ હવે ગેસ વડે ઝડપથી થઇ જાય છે. 

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ લાભાર્થીઓને જણાવ્યુ હતુ કે, સરકારની જન-સુખાકારી કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે, સામાન્ય નાગરિકો સુધી પણ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પહોંચી રહી છે,  સરકારશ્રીના તમામ વિભાગ જનતાના પ્રશ્નોના નિકાલ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તમામ પ્રકારની યોજનાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામા આવી રહ્યા છે, ઉપરાંત જેઓ યોજનાઓના હકદાર હોવા છતા લાભથી વંચિત હશે તો એ માટે પણ યોગ્ય પ્રોસેસ કરીને તેઓને લાભ આપવામા આવશે. 

૦૦૦

#VikasSaptah

#23YearsOfGoodGovernance

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ