માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

 Dahod : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને અપાઈ સૂચના

૦૦૦

દાહોદ : દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં દર મહિનાના ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તેમજ પહેલા બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ - ૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત યોજવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પ્રશ્નો જેવા કે, કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીઓમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે.


દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન લગભગ વિવિધ ૧૦ જેટલી અરજી અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જેને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા આવેલ તમામ લોક પ્રશ્નોને વ્યક્તિગત સાંભળીને આવેલ તમામ પ્રજા પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત અધિકારીશ્રીઓને રૂબરૂ સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરી પ્રજા પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી.


જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન લોકોના વિવિધ પ્રશ્નો જેવા કે, વારસાઈ કરવા બાબત, જમીન પર કબ્જા બાબત, અનધિકૃત દબાણ, બિન કાયદેસર દબાણ બાબત, ભૂગર્ભ ગટર કરવા બાબત, નરેગા યોજના, કબ્રસ્તાનની લાઈટ બંધ રહેતી હોવા બાબત, વારસદાર તરીકે નામ દાખલ કરવા બાબત, સરકારી ગ્રાન્ટ બાબત તેમજ એલ. સી. ને લગતા પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.


જિલ્લા સ્વાગત કાર્યક્રમ નિમિત્તે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી, સંબંધિત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ