માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

સ્વચ્છતા અભિયાન :- દાહોદ જિલ્લો

 

સ્વચ્છતા અભિયાન :- દાહોદ


દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતે થી સ્વચ્છતા કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નો જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રારંભ કરાવ્યો*"

૦૦ 

'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા'  અને દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર શ્રી યોગેશ નિરગુડે

૦૦ 

દાહોદ:- રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪  અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૭  સપ્ટેમ્બર થી શરૂ થતા 'સ્વચ્છતા હી સેવા અભિયાન' ૩૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી.જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તેમજ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત ગ્રામજનો એ  સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. 

જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ  સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ 'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવી ' છે. દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે. દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા, અભિગમ કેળવશે, તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે. સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવી કલેકટરશ્રી સફાઈ કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે શ્રી પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા  રાજપુત , મામલતદાર શ્રી મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા. 

૦૦૦



Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું