વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
  વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના સર...

આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી

 પ્રાકૃતિક ખેતી - દાહોદ


આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી

૦૦૦

પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રાકૃતિક ખેતી વિશેની મહત્વની માહિતી આપી

૦૦૦

દાહોદ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગે કૂચ કરી રહ્યા છે ત્યારે એગ્રીક્લચરમાં પોતાની ધગશ અને લગન રાખતા વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ ડગલું માંડી રહ્યા છે.


આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ આવેલ તમામ વિદ્યાર્થીનીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપીને તેના થકી પાક, જમીન, પાણી, વાતાવરણ અને મનુષ્યને થતા લાંબા ગાળાના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે થતા સવાલો પણ પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.  

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું