માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod : પ્રગતિશીલ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો

 

પ્રાકૃતિક ખેતી

૦૦૦

Dahod : પ્રગતિશીલ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો

૦૦૦

કુદરતી ખેતી પાછળ થોડો સમય, મહેનત અને કાળજી ખેડૂતને સફળતા તરફ લઇ જાય છે

૦૦૦

દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રેરણા પ્રવાસ અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે, જે દરમ્યાન અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવ્યું હતું. 


પ્રેરણા પ્રવાસ દરમ્યાન ખેડૂતોને કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ, તેનો ઉપયોગ કરવાની રીત ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે શેની જરૂર પડે એ વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અન્ય ખેડૂતો સમક્ષ મૂકીને પોતાને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કઈ કઈ પ્રકારે ફાયદા થયા તે જણાવવામાં આવ્યું હતું. 


પ્રાકૃતિક ખેતીને અપનાવવી શા માટે ફાયદાકારક છે, તેનાથી થતા ફાયદાઓ ઉપરાંત રાસાયણિક ખાતર થકી થતા નુકસાન અંગે પણ વિચારણા કરીને તેઓને સમજાવવામાં આવ્યું હતું. એક ખેડૂત માટે જમીન, પાક અને આવક મહત્વની હોય છે, જો જમીન ફળદ્રુપ હશે, તો પાકના ઉત્પાદન સહિત ગુણવતા સારી હશે. અને જમીન અને પાક બરાબર હશે તો આવક એની મેળે થશે. હા, અહીં પ્રાકૃતિક ખેતી ખેડૂતોની મહેનત માંગી લે છે. થોડો સમય, મહેનત અને કાળજી ખેડૂતને સફળતા તરફ લઇ જાય છે.

૦૦૦





Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું