માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod news : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાઈ

 Dahod news : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજાઈ


પ્રાકૃતિક ખેતી

કુદરતી ખેતીમાં સમય, મહેનત અને કાળજીની જરૂર છે


દાહોદ : દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તાલીમ સહિત પ્રેરણા પ્રવાસ તેમજ તાલીમો યોજવામા આવી રહી છે, જેમા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા - વિચારણા સહિત પ્રેક્ટિકલ પણ કરવામાં આવે છે.

જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે વિસ્તરણ કાર્યકરોની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ દરમ્યાન રવિ ઋતુ સમયે પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂતોને તાલીમ મળી રહે તે માટે જિલ્લાના વિસ્તરણ કાર્યકરોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.

એ નિમિતે આઇ ખેડૂત પોર્ટલમાં તાલીમનું રિપોર્ટિંગ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને કુદરતી ખાતર પાક, જમીન અને મનુષ્ય માટે કઈ રીતે લાભદાયી નીવડે છે એ બાબતે વિસ્તાર પૂર્વક ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. 

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું