માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ

 કરો યોગ - રહો નિરોગ, યોગમય ગુજરાત - સ્વચ્છ ગુજરાત

૦૦૦

દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ



દાહોદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણા સ્ત્રોત એવા ચેરમેન અને યોગ સેવકશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન નંબર ત્રણ પંચમહાલના ઝોનના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાનની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડબલારાના મેદાનમાં ધ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજવામાં આવી હતી.

આ શિબિર નિમિતે પિન્કીબેનએ ધ્યાન અને યોગ નિંદ્રાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એ સાથે ૪૫ થી પણ વધુ સંખ્યામાં ભાઇઓ - બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હતા.


ડબલારા ગામના ગ્રામ પંચાયત સરપંચશ્રી એમ.ડી.બારીઆ અને પંચાયત સભ્યએ પણ યોગ ટ્રેનરની તાલીમ લેવા પહેલ કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. ખરેખર છેવાડાના ગામડાઓ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ પહોંચીને લોકોનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપીને એક સેવા કાર્ય કરી રહી છે. 

આ શિબિર દરમ્યાન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્યશ્રી, ડબલારા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શાળા સ્ટાફ, વિદ્યાર્થિનીઓ, મોટી ઢઢેલી, ડબલારા, મોટા  નટવા વગેરે ગામોમાથી ગામના વડીલ આગેવાનો, યોગ કોચ ભાઇ-બહેનો, યોગ ટ્રેનર ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું