દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

Image
 દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ-૨ આયુષ્માન આરોગ્ય મંદીરના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો દાહોદ : દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાની સૂચના અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટી ખરજ આયુષ્માન આરોગ્ય મંદીર-૨ ના રાહ ડુંગરી ફળિયામાં NCD સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન ૧૦૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની તપાસ કરતા ૩ suspected દર્દીઓ મળી આવ્યા હતા. અને હાયપર ટેન્શનના ૨ દર્દીઓ,  બ્લડ પ્રેશરના ૨ દર્દીઓ મળ્યા હતા. જેઓને વધુ તપાસ અર્થે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.  એ સાથે આજે વાહક જન્ય રોગો વિશે લાભાર્થીઓને ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી હતી. ટી.બી., એચ. આઇ. વી. તેમજ સિકલસેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પ નિમિતે મોટી ખરજના મેડીકલ ઓફિસરશ્રી ડૉ વૈદહી સાકરીયા અને બોન્ડેડ ડૉ. દ્રષ્ટિ ડામોર તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

 

સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લાના જિલ્લા - તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.-પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

૦૦૦

તમામ માતા - પિતાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે.આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ તરફ આગળ વધવાનું છે.- સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર

૦૦૦

કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે

૦૦૦

દાહોદ : શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ છે. દેશનુ ભવિષ્ય જેવા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે.  શિક્ષક દિન નિમિતે દાહોદના સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજવામાં આવ્યો હતો. 

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય પછી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના, સ્વાગત ગીત તેમજ આદિવાસી નૃત્ય સાથે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 


આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ પ્રાકૃતિક ખેતીની વાત રજુ કરતા જણાવ્યુ હતુ કે, નરેંદ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકાસ વિઝનને સાકાર કરવા તરફ આપણે આગળ વધવાનુ છે ત્યારે શિક્ષકોએ શિક્ષક તરીકેની ગરીમાને જાળવી રાખી છે, ગામડુ કે શહેર, ગરીબ કે તવંગર તમામને વિકાસના પંથે લઇ જવાનુ શુભ કાર્ય પુરી જવાબદારીથી નિભાવવાનુ છે. કારણ કે,  બાળકો એ સમાજનુ ભવિષ્ય છે અને એ વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.


સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે શિક્ષક દિનના આ અવસરે તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે,  શિક્ષકનુ પદ, કાર્ય, કર્તવ્ય એ આપણા સમગ્ર સમાજના વિકાસ માટે છે, બાળકોનો વિકાસ એટલે સમાજનો વિકાસ. શિક્ષકોના હાથમા બાળકોની સાથે સમાજનુ પણ નિર્માણ રહેલુ છે. તમામ માતા - પિતાના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે. આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ બનવા તરફ આપણે આગળ વધવાનું છે.


શિક્ષક દિન નિમિતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યુ હતુ કે, કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે. દરેક વિધ્યાર્થિઓને એક હરોળમા સમકક્ષ લાવવાની કામગીરી શિક્ષકોએ કરવાની છે. 


આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવા ફળીયા, વર્ગ પ્રાથમિક શાળા, ગરબાડાના મદદનીશ શિક્ષકશ્રી શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઇ, બી. આર. સી. ભવન, દાહોદથી બી. આર. સી. કો., ઝાલોદથી શ્રી કલ્પેશકુમાર દીપસિંહ મુનિયા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગરબાડા, લીમખેડા, ઝાલોદ તેમજ દાહોદ તાલુકાના મળી એમ કુલ ૮ જેટલા મદદનીશ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત કરવામાં હતા. 


શિક્ષક દિનને સ્પેશ્યલ દિવસ બનાવવા માટે પ્રાથમિક શાળાના વિધ્યા સહાયકોને પુરા પગારના આદેશ આપવા સાથે શાળાઓના વિધ્યાર્થીઓ કે જેઓએ અભ્યાસમા શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તેવા વિધ્યાર્થિઓનુ પણ સ્ન્માન કરવામા આવ્યુ હતુ. 


આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી ઝાલોદ મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ સોની, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ. આર. બારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Comments

Popular posts from this blog

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ દ્વારા અનુરોધ...