માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

 Dahod : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લાના જિલ્લા - તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.-પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

૦૦૦

તમામ માતા - પિતાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે.આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ તરફ આગળ વધવાનું છે.- સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર

૦૦૦

કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે

૦૦૦

દાહોદ : શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ છે. દેશનુ ભવિષ્ય જેવા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે.  શિક્ષક દિન નિમિતે દાહોદના સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજવામાં આવ્યો હતો. 

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય પછી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના, સ્વાગત ગીત તેમજ આદિવાસી નૃત્ય સાથે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 


આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ પ્રાકૃતિક ખેતીની વાત રજુ કરતા જણાવ્યુ હતુ કે, નરેંદ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકાસ વિઝનને સાકાર કરવા તરફ આપણે આગળ વધવાનુ છે ત્યારે શિક્ષકોએ શિક્ષક તરીકેની ગરીમાને જાળવી રાખી છે, ગામડુ કે શહેર, ગરીબ કે તવંગર તમામને વિકાસના પંથે લઇ જવાનુ શુભ કાર્ય પુરી જવાબદારીથી નિભાવવાનુ છે. કારણ કે,  બાળકો એ સમાજનુ ભવિષ્ય છે અને એ વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.


સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે શિક્ષક દિનના આ અવસરે તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે,  શિક્ષકનુ પદ, કાર્ય, કર્તવ્ય એ આપણા સમગ્ર સમાજના વિકાસ માટે છે, બાળકોનો વિકાસ એટલે સમાજનો વિકાસ. શિક્ષકોના હાથમા બાળકોની સાથે સમાજનુ પણ નિર્માણ રહેલુ છે. તમામ માતા - પિતાના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે. આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ બનવા તરફ આપણે આગળ વધવાનું છે.


શિક્ષક દિન નિમિતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યુ હતુ કે, કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે. દરેક વિધ્યાર્થિઓને એક હરોળમા સમકક્ષ લાવવાની કામગીરી શિક્ષકોએ કરવાની છે. 


આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવા ફળીયા, વર્ગ પ્રાથમિક શાળા, ગરબાડાના મદદનીશ શિક્ષકશ્રી શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઇ, બી. આર. સી. ભવન, દાહોદથી બી. આર. સી. કો., ઝાલોદથી શ્રી કલ્પેશકુમાર દીપસિંહ મુનિયા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગરબાડા, લીમખેડા, ઝાલોદ તેમજ દાહોદ તાલુકાના મળી એમ કુલ ૮ જેટલા મદદનીશ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત કરવામાં હતા. 


શિક્ષક દિનને સ્પેશ્યલ દિવસ બનાવવા માટે પ્રાથમિક શાળાના વિધ્યા સહાયકોને પુરા પગારના આદેશ આપવા સાથે શાળાઓના વિધ્યાર્થીઓ કે જેઓએ અભ્યાસમા શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તેવા વિધ્યાર્થિઓનુ પણ સ્ન્માન કરવામા આવ્યુ હતુ. 


આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી ઝાલોદ મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ સોની, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ. આર. બારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું