માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

 દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમે  બહાદુર સૈનિક ભાઈઓ માટે આ વખતે  રાખડી મોકલીને  જવાન ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ દેવગઢ બારિયાના સી.ડી.પી.ઓ સુશ્રી એમી જોસેફના માર્ગદર્શન હેઠળ દેવગઢબારિયા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી કેન્દ્ર દીઠ એક રાખડી એમ ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે. 


         આઇસીડીએસ દેવગઢ બારિયા ઘટક-૧-૨-૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે,પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે ૧૭ સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી  કુલ ૩૯૦ રાખડી દેશની રક્ષા કરતા હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિઃસ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી છે.


           દેશના સિમદાઓની રક્ષા કરતા સૈનિક  ભાઈઓ દિવસ રાત દેશની સેવા કરીને આપણને સુરક્ષિત અને હસતા રહેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. માં ભારતીની રક્ષા કરે છે પ્રભુ તેઓને હજી પણ મા ભારતીની સેવા કરવા માટે તાકાત આપે એવી શુભકામના સાથે સૈનિક ભાઈને અમે નમન કરીએ છીએ. આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ૩૯૦ રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ ૦૦ રક્ષાબંધનના તહેવાર...

Posted by Info Dahod GoG on Friday, August 16, 2024

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું